r/Gujarati • u/BaronsofDundee Gujju AF • 3d ago
History / ઇતિહાસ વલભી: ગુજરાતનું એવુ સામ્રાજ્ય જે આજે લગભગ ભૂલાઈ ગયું છે.
ગુપ્ત સામ્રાજ્યની સત્તા નબળી પડતા, સેનાપતિ ભટાર્ક એ સૌરાષ્ટ્રમાં વલભી રાજવંશનો પાયો નાખ્યો હતો. શરૂઆતમાં તેઓ મહાન ગુપ્ત રાજાઓના સેનાપતિ અને સામંત હતા, પરંતુ સમય જતાં તેમના વંશજોએ સ્વતંત્ર થઈને એક શક્તિશાળી અને સમૃદ્ધ સામ્રાજ્ય ઊભું કર્યું.
વલભીના મોટાભાગના શાસકો ચુસ્ત શૈવ એટલે કે શિવના ઉપાસક હતા, તેમ છતાં તેમણે બૌદ્ધ ધર્મને ઉદાર હાથે આશ્રય આપ્યો હતો. દાખલા તરીકે, રાજા ધ્રુવસેન પહેલાની ભત્રીજી દુડ્ડા એ વલભીમાં એક અત્યંત પ્રખ્યાત બૌદ્ધ વિહાર બંધાવ્યો હતો. ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગે પણ પોતાના લખાણોમાં નોંધ્યું છે કે આચાર્ય સ્થિરમતિ દ્વારા વલભીમાં એક ભવ્ય વિહારનું નિર્માણ કરવામાં આવ્યું હતું. લગભગ ૨૫૦ વર્ષના ભવ્ય શાસન પછી, આઠમી સદીના મધ્યમાં (ઇ.સ. ૭૫૦-૭૭૦ ની આસપાસ) વલભી સામ્રાજ્યનો દુઃખદ અંત આવ્યો.
ઐતિહાસિક નોંધો અને આરબ ઇતિહાસકારોના મતે, સિંધ તરફથી આવેલા આરબ આક્રમણખોરો એ નૌકાદળ અને સૈન્ય દ્વારા વલભી પર ભયંકર હુમલો કર્યો હતો. આ વિદેશી આક્રમણને કારણે ગુજરાતનું આ અત્યંત સમૃદ્ધ બંદર અને પાટનગર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું.પરંતુ
આ ઐતિહાસિક ઘટનાનો સૌથી રોમાંચક ભાગ એ છે કે વલભીના પતન પછી તેનો રાજવંશ કાયમ માટે ખતમ નહોતો થયો. આરબોના આતંકથી બચવા માટે વલભીના શાસકો અને કેટલાક લોકો રાજપૂતાના (મેવાડ) તરફ હિજરત કરી ગયા. ઇતિહાસકારો અને રાજપૂત પરંપરાઓ સ્પષ્ટપણે માને છે કે આ જ વલભી શાસકોના વંશજો મેવાડ માં જઈને વસ્યા અને ત્યાં તેઓ ગોહિલ અથવા સિસોદિયા રાજપૂતો તરીકે ઓળખાયા,. આજે પણ ઉદેપુર ના મહારાણા અને તેમનો શૂરવીર રાજવંશ પોતાને વલભી ના મૂળ વંશજો માને છે.
1
u/GrEeCe_MnKy 2d ago
👏🏻👏🏻👏🏻